NEVER GIVE UP ACADAMY
KAVYESH K KARELIA
ભારતીય રાષ્ટીય કોંગ્રેસ
૨૮ DECEMBER ૧૮૮૫માં એલન અઓક્તોવીયાન હુમ દ્વારા ભારતીય રાષ્ટીય કોંગ્રેસની
સ્થાપના થઇ. કોલકાતાના જાણીતા બેરિસ્ટર શ્રી વ્યોમેશચંદ્ર બેનરજી આ કોંગ્રસના
પ્રથમ અધિવેશનના પ્રમુખ હતા. આ સભાનું આયોજન મુબઈમાં ગોકુલદાસ તેજપાલ
સંસ્કૃત કોલેઝ્માં કરવામાં આવ્યું. આ સંમેલનમાં સામીલ નેતાઓમાં દાદાભાઈ
નવરોજી, કાશીનાથ, વ્યમ્બક તૈલંગ, ફિરોજશાહ મહેતા, એસ. સુબ્રમણ્ય, પી. આનંદ વોરેલું, ચાચા ગોપલાક્રીષણ વગેરે હાજર હતા. આમ
કુલ ૭૨ પ્રતિનિધિઓ એ ભાગ લીધેલો.
આવું કહેવામાં આવે છે કે કોંગ્રેસની સ્થાપના પાછળનો હુમનો મુખ્ય હેતુ
શિક્ષિત ભારતીયોમાં વધતી અસંતોષની લાગણીના ઈલાજ સ્વરૂપે “ સેફટી વાલ્વ”
બનાવાનો હતો. આ અસંતુષ્ઠ રાષ્ટ્રવાદી શિક્ષિત વર્ગ અને કિશન જનતાને એકબીજાથી અલગ
કરવાનો હતો. પરંતુ આ સફ્તી વાલ્વનો સિધ્ધાંત ખુબ જ નાનો હતો.
માટે જ કોલકાતાના એક સમાચારપત્ર THE INDIAN MIRROR એ લખ્યું કે મુબઈમાં આયોજિત પ્રથમ
રાષ્ટીય કોંગ્રેસ અધિવેશન એ ભારતના ઇતિહાસમાં ખુબ જ મહત્વના પ્રકરણના સ્વરૂપે
જોડાયેલું છે. આ કોંગ્રેસ એ અમારા ભવિષ્યની સંસદનું કેન્દ્રબિંદુ બનશે. જો એવું
પૂછવામાં આવે કે આપના જીવનનો ખુબ જ મહત્વનો દિવસ ક્યાં છે, તો નિસંદેહ આ રાષ્ટીય કોંગ્રસની સ્થાપના
નો દિવસ જ છે,
તેવું કહેવામાં આવે. કારણ કે આનામાં પ્રથમ વાર મદ્રાસ, મુબઈ, પચ્ચીમના પ્રાંતો અને
પંજાબના આપના ભાઈઓ એ આ અધિવેશનને સફળ બનાવામાં માટે એકત્ર થયેલા. અહી થી આપણી
રાષ્ટીય ચળવળ ખુબ જ ઝડપથી આગળ વધે છે.
દરેક DECEMBER
માસમાં દેશના અલગ-અલગ ભાગોમાં અધિવેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. કારણ કે જેથી
આખા દેશમાં રાષ્ટીય આઝાદી માટે નું આંદીલન વ્યાપક થાય. અને આના પ્રતીનીધીઓમાં વકીલો, પત્રકારો, વ્યાપારીઓ, અધ્યાપકો, અને જમીનદારો સામેલ હતા. અને ૧૮૯૦આ
કોલકાતા વિશ્વવિદ્યાલયમાં પ્રથમ મહિલા સ્નાતક કાદમ્બિની ગાંગુલીએ પણ
કોંગ્રેસને સમ્બીધિત કરેલી. અને આ એ બાબતનું પ્રતિક છે કે, ભારતના સ્વાતંત્રય સંગ્રામમાં
સ્ત્રીઓનું સ્થાન પણ કઈ પાછળ નથી. માટે જ કોંગ્રસ અધિવેશનની અધ્યક્ષતા પણ સ્ત્રીઓએ
કરેલી. જેમાં
૧. ૧૯૧૭માં શ્રીમતી અણી બેસન્ટ કોલકાતા
૨. ૧૯૨૫માં શ્રીમતી
સરોજીની નાયડુ કાનપુર
૩. ૧૯૩૩માં શ્રીમતી નીલ સેનગુપ્તા કોલકાતા
હુમનો કોંગ્રેસની સ્થાપનના પાછળનો હેતુ
સફ્તી વાલ્વ કરતા પણ આગળનો હતો. જે આદર્શ વિચારો વડે પ્રરિત હતો. કારણ કે તે
ભારતના ગરીબ ખેડૂતોની સ્થિતિથી વાકેફ હતો. અને ખરેખર તે ભારતીયોને પ્રેમ કરતો હતો.
કઈ પણ હોય પરંતુ કોંગ્રેસની સ્થાપના કરવમાં હુમને સાથ આપવા વાળા ભારતીયી નેતાઓ પણ આદર્શ
દેશ ભક્ત હતા.અને તેમાં પણ કોંગ્રેસના વિચારો ફેલાવાનું કાર્ય પ્રેસે કરેલું. તેના
ખાસ અધ્યક્ષમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષણ ગોખલે હતા.
આ સમય ઉદાર રાષ્ટીય આંદોલનો યુગ કહેવામાં
આવે છે. ભારતીય નેતાઓને અન્ગ્રજોની ન્યાયાપ્રીયાતામાં વિશ્વાસ હતો, અને તેઓ ઈચ્છતા હતા કે જો તેઓ
વિન્તીપત્ર કે ચર્ચાના સ્વરૂપમાં તેમની માંગો સરકાર સામે પ્રસ્તુત કરશે, તો તેઓ
તેને સ્વીકારશે. કોંગ્રેસના ઉદારવાદી
નેતાઓમાં ફિરોજશાહ મેહતા, ગોખલે, વ્યોમેશચંદ્ર બેનરજી, દાદાભાઈ નવરોજી, મહાદેવ ગોવિંદ રાનડે,
મદનમોહન માલવિયા જેવા વગેરે હતા.
આ
સમય દરમિયાન કોંગ્રેસ સંપુર્ણ વૈધાનિક
કાર્યપ્રણાલીમાં વિશ્વાસ કરતી હતી. તેનું કાર્ય પ્રસ્તાવ સ્વીકાર કરવો, સરકાર પાસે
વિનતી કરવી, અને પોતાના વિચારોનો પ્રચાર કરવો. આ ત્રણ બાબતો પુરતું સીમિત રહયું. તેમને
સરકાર પાસે નીચે મુજબની માંગણીઓ કરેલી.
૧.
ભારતમાં પ્રતિનિધિ સભાઓ સ્થાપવી.
૨. વ્યક્તિગત
સ્વતંત્રતા અપાવી.
૩. વિદેશી
વસ્તુઓ પર વધારે કર નાખવો.
૪. આફ્રિકામાં
પ્રવાસી ભારતીયો સાથે સારો વ્યહરા કરવો.
૫. ભારતીયોને
ઉચો સરકારી હોદો પ્રાપ્ત થાય.
૬.
વહીવટી અને લશ્કરી ખર્ચમાં ઘટાડો કરવો.
આ
રીતે કોંગ્રેસ વારંવાર સરકાર પાસે પ્રાથના કરતુ. કોંગ્રેસને બ્રિટેનની ન્યાયપ્રિયતામાં
વિશ્વાસ હતો. કોંગ્રેસ પોતાના પ્રતિનિધિ મંડળો બ્રિટેન મોકલીયા હતા. કોંગ્રેસ આ સમયે
સરકારનો વિરોધ કર્યો નહિ, અને તેને કોઈ સફળતા પણ ના
મળી. આ કારણથી આ સમયને રાજનૈતિક ભીક્ષવૃતીનો સમય કહેવામાં આવે છે. લાલાજી આને
તકવાદી આંદોલન કહેલું. પરંતુ આ સમય કોંગ્રેસનો શૈશવકાળ હતો. કોંગ્રેસ સરકારનો
વિરોધ કરવાની સ્થિતિમાં ન હતી. તેનું પ્રથમ કાર્ય પોતાની શક્તિને મજબુત કરવાનું
હતું. રાષ્ટીય આંદોલને માટે જનમત તૈયાર કરવાનું હતું. આ કાર્યની પુરતી સફલાતાપુરવક
કરી અને ભવિષ્યના આંદોલનો માટે એક શક્તિશાળી પૃષ્ઠભૂમિ તૈયાર કરવામાં સફળતા પણ
પ્રાપ્ત થઇ.
No comments:
Post a Comment