Sunday, 8 April 2018

BASIC OF ECONOMIC


NEVER GIVE UP ACADAMY

KAVYESH K KARELIA



*               અર્થશાસ્ત્રનું કેન્દ્ર

   માનવ જીવનમાં સુધારો અને માનવ જગતના જીવન સ્તરમાં સુધારો એ અર્થશાસ્ત્રનું કેન્દ્ર છે. કઈ રીતે સામાન્ય જનતા વધારેમાં વધારે ખુશ રહે તે આનો હેતુ છે. આ દિશામાં પ્રથમ પ્રયત્ન સ્કોટલેન્ડના પ્રખ્યાત દર્શીનીક અર્થશાસ્ત્રી એડમ સ્મિથ દ્વારા કરવામાં આવ્યો. પોતાની ચોપડી THE WEALTH OF NATION (૧૭૭૬) માં આ પ્રયત્ન કરવામાં આવ્યો.

*               અર્થવ્યવસ્થાઓની મુખ્ય ચુનોતીઓ

   અર્થવ્યવસ્થામાં ધણી બધી ચુનોતીઓ છે. જેમાં પ્રાથમિક જરૂરિયાતો જેવી કે રોટી, કપડા, અને મકાન વગેરે પ્રાથમિક જરૂરિયાત છે, જ્યારે બીજી  જરૂરિયાતમાં ઉચું જીવન ધોરણ, જેમાં TV, ફ્રેઝ, અને કાર વગેરે. આમ સરકારને આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ઘણી ચુનોતીનો સામનો કરવો પડે છે. આમાં પણ દેશમાં પડેલા સંસાધનો ઉપયોગ કરીને જરૂરિયાત પૂરી પડાવી.

*  અર્થવ્યવસ્થાની મુખ્ય બે ચુનોતીઓ
                                                              
*આર્થિક વ્યવસ્થા

           કોઈ પણ અર્થવ્યવસ્થામાં સંસાધનો તેની જનતાના કલ્યાણ માટે કઈ રીતે ઉપયોગ કરવો, તેના  વિવાદનો પ્રારભ એડમ સ્મિથ (૧૭૨૮-૧૭૯૦) તેના પુસ્તક THE WEALTH OF NATION આપવામાં આવે છે. આ વિવાદનો સુયોગ્ય હેતુ આવામાં ૨૦૦ વર્ષ જેટલો સમય વિતીગ્યો. અને અર્થવ્યવસ્થાના ત્રણ સ્વરૂપો આપવામા આવ્યા.

*૧. પૂંજીવાદી અર્થવ્યવસ્થા
ü  આ વ્યવસ્થામાં સરકારી હસ્તક્ષેપ હોતો નથી. માત્ર સ્વતંત્ર હોય છે. આના માટે બજાર પ્રતિયોગીતા થાય છે.
ü  આનો ઉદભવ the wealth of nation માંથી માનવામાં આવે છે.
ü  આ વ્યવસ્થા સૌપ્રથમ અમેરિકાએ અપનાવેલી.
*૨. સરકારી(રાજા) અર્થવ્યવસ્થા
ü  આમાં માત્ર બધા ઉદ્યોગો સરકારના હાથમાં જ હોય છે.
ü  આનો ઉદભવ બોલ્શેવિક ક્રાંતિ (૧૯૧૭)  થી માનવામાં આવે છે. જેના પર જર્મનીના દર્શેનીક કાલ-માર્ક્સનો પ્રભાવ છે.
ü  આ વ્યવસ્થા સૌપ્રથમ રશિયા અને ત્યારબાદ ચીને(૧૯૪૯) માં અપનાવી હતી.
* ૩. મિશ્રિત અર્થવ્યવસ્થા
ü  આમાં તે બધું મિશ્રિત હોય છે. કેટલાક ઉદ્યોગો સરકારના અને કેટલાક સ્વતંત્ર હોય છે.
ü  આનો ઉદભવ ૧૯૨૯ની મહામંદી માનવામાં આવે છે. જેના પર બ્રિટીશ અર્થશાસ્ત્રી જોન મેનાર્દ નો પ્રભાવ જોવા મળે છે.
ü  આ વ્યવસ્થા સૌપ્રથમ ૧૯૪૦માં ફ્રંચ દ્વારા આપનાવામાં આવેલીં હતી.
*મિશ્રિત અર્થ વ્યવસ્થાને પ્રાત્સાહન
ü  આ અર્થવ્યવસ્થાને ૧૯૯૩ થી ૧૯૯૯મા IMF અને WORLD BANK દ્વારા પુષ્ટિ કરવામાં આવી. માટે જ ચીન જેવી સરકારે પણ ૧૯૮૫ થી જ ખુલ્લા દ્વારની નીતિ અપનાવી.
ü  આ રીતે સોવિયત સંઘ પણ ગ્લાસનોસ્ત( ખુલ્લુપણ)  અને પ્રેસ્ત્રોયકા( પુનઃ સરચના) નામની નીતિ અપનાવી.
ü  ૧૯૯૯મા વિશ્વ બેંકના વિકાસ રીપોર્ટમાં પણ મિશ્રિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. અને વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના પછી વૈશ્વિકરણનો પ્રારંભ થયો.  

No comments:

Post a Comment

K-CURE kavyesh